Thursday, December 2, 2010

બિનુ સતસંગ બિબેક ન હોઈ...


બિનુ સતસંગ બિબેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ 1
સતસંગત મુદ મંગલ મૂલા, સોઈ ફલ સિધિ સબ સાધન ફૂલા 2

સત્સંગ વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી અને એ સત્સંગ શ્રીરામજીની કૃપા વિના મળવો મુશ્કેલ છે. સત્સંગતિ એ આનંદ-મંગળનું મૂળ છે. સિદ્ધિ એનું ફળ છે. સર્વ સાધનો તેનાં ફૂલ છે.

સઠ સુધરહિં સતસંગતિ પાઈ, પારસ પરસ કુધાત સુહાઈ 3
બિધિ બસ સુજન કુસંગત પરહીં, ફનિ મનિ સમ નિજ ગુન અનુસરહીં 4

જેમ પારસમણિના સ્પર્શથી લોઢું કંચન બની જાય છે તેમ સારી સંગતથી દુષ્ટ મનુષ્ય પણ સુધરી જાય છે. દૈવયોગે સજ્જન મનુષ્ય કુસંગતે ચડી જાય તોયે સર્પના મણિની પેઠે સ્વગુણોને જ તે અનુસરે છે.

દોહાઃ બંદઉં સંત સમાન ચિત હિત અનહિત નહીં કોઈ
અંજલિગતસુભ સુમન જિમિ સમ સુગંધ કર દોઈ 1

જેઓને કોઈ દુશ્મન કે દોસ્ત નથી તે સમદર્શી સંતોને હું વંદન કરું છું. જેમ અંજલિ (હથેળી)માં રાખેલું ફૂલ બન્ને હાથોને બરોબર સુવાસિત કરે છે, તેમ સંતો શત્રુ અને મિત્ર બન્નેનું સમાનરૂપથી કલ્યાણ કરે છે.

સંત સરલ ચિત્ત જગત હિત જાનિ સુભાઉ સનેહુ
બાલબિનય મુનિ કરિ કૃપા રામ ચરન રતિ દેહુ 2

સંતો સરળ ચિત્તવાળા અને જગતને હિતકર્તા છે એવો તેઓનો ઉત્તમ સ્વભાવ તથા અપૂર્વ સ્નેહ જાણી હું તેઓને પ્રાર્થના કરું છું કે મુજ બાળકની વિનંતી સાંભળી કૃપા કરીને મને શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રીતિ આપો.

Sunday, November 28, 2010

સાધુ ચરિત સુભ ચરિત કપાસુ....


સાધુ ચરિત સુભ ચરિત કપાસુ, નિરસ બિસદ ગુનમય ફલ જાસૂ 1
જો સહિ દુઃખ પરછિદ્ર દુરાવા, બંદનીય જેહિં જગ જસ પાવા 2

સાધુઓનું ચરિત્ર સુંદર કપાસતુલ્ય છે, જેનું ફળ રસરહિત હોવા છતાં સ્વચ્છ અને શુભ હોય છે, કપાસની જેમ તેઓ પોતે કષ્ટ સહીને બીજાઓના દોષોને ઢાંકે છે, એટલે જે તેમણે જગતમાં વંદનીય યશ પ્રાપ્ત કર્યો છે.

મુદ મંગલમય સંતુ સમાજુ, જો જગ જંગમ તીરથરાજૂ 3
રામ ભક્તિ જહં સુરસરિ ધારા, સરસઈ બ્રહ્મ બિચાર પ્રચારા 4

સંતોનો સમાજ આનંદમય અને મંગલમય છે, જે જગતમાં હાલતાચાલતા તીર્થરાજ પ્રયાગરૂપ છે, જ્યાં સીતારામની ભક્તિરૂપ ગંગાજીની ધારા છે અને બ્રહ્મવિચારના પ્રચારરૂપ સરસ્વતી છે.

બિધિ નિષેધમય કલિ મલ હરની, કરમ કથા રબિનંદનિ બરની 5
હરિ હર કથા બિરાજતિ બેની, સુનત સકલ મુદ મંગલ દેની 6

વિધિ અને નિષેધરૂપી જે કર્મકાણ્ડની કથા છે તેને કલિકાળના પાપોને હરનારી સૂર્યપુત્રી યમુનારૂપ વર્ણવી છે અને વિષ્ણુ અને શિવની કથા મળીને ત્રિવેણીરૂપ શોભે છે, જે સાંભળતા જ આનંદ મળે છે અને કલ્યાણ થાય છે.

બટુ બિસ્વાસ અચલ નિજ ધરમા, તીરથરાજ સમાજ સુકરમા 7
સબહિ સુલભ સબ દિન સબ દેસા, સેવત સાદર સમન કલેસા 8

ધર્મમાં અચળ વિશ્વાસ અક્ષયવડ છે અને શુભ કર્મો તીર્થનો મેળો છે. સંત-સમાજરૂપી પ્રયાગ સર્વને માટે બધાય દિવસ સર્વ દેશોમાં સુલભ છે અને આદરપૂર્વક સેવવાથી બધાય કલેશો નષ્ટ કરનાર છે.

અકથ અલૌકિક તીરથરાઊ, દેઈ સદ્ય ફલ પ્રગટ પ્રભાઊ 9

એ તીર્થરાજ અકથનીય અને અલૌકિક છે, તે તુરત ફળ આપે છે. એનો પ્રભાવ જગતમાં પ્રસિદ્ધ છે.

દોહોઃ સુનિ સમુઝહિ જન મુદિત મન મજ્જહિં અતિ અનુરાગ
લહહિં ચારિ ફલ અછત તનુ સાધુ સમાજ પ્રયાગ 1

જે ભાવિક મનુષ્યો સંતસમાજરૂપી તીર્થરાજના ઉપદેશને પ્રસન્નચિતથી સાંભળીને મનન કરે છે ને તેમાં મગ્ન બની જાય છે. તેઓ તો પોતાની હયાતીમાં જ ચાર પદાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરે છે.

રામ રમકડું જડિયું રે, રાણાજી.....


રામ રમકડું જડિયું રે, રાણાજી,
મને રામ રમકડું જડિયું.

રૂમઝૂમ કરતું મારે મંદિરે પધાર્યું,
નહિ કોઈને હાથે પડિયું રે. રાણાજી....

મોટા મોટા મુનિજન મથીમથી થાક્યા,
કોઈ એક વિરલાને હાથે ચડિયું રે. રાણાજી...

શૂન્ય શિખરના રે ઘાટથી ઉપર,
અગમ અગોચર નામ પડિયું રે. રાણાજી....

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
મારું મન શામળિયા શું જડિયું રે. રાણાજી.....


મીરાં


Saturday, November 27, 2010

રામનામ પારસમણિ કરતાં પણ અમૂલ્ય છે...


રામનામ કેવળ થોડા માણસોને માટે નથી, સૌને માટે છે. જે રામનામ રટે છે તે પોતાને માટે ખજાનો એકઠો કરે છે. એ ખજાનો એવો છે જે કદી ખૂટતો નથી. તેમાંથી જેટલું કાઢો તેટલું ભરાયા કરે છે. તેનો અંત નથી. જેમ ઉપનિષદ કહે છે તેમ, 'પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરો તોયે પૂર્ણ જ શેષ રહે છે.' રામનામ શરીરના, મનના અને આત્માના, એમ સર્વ આધિ, વ્યાધિ અને ઉપાધિનો ઇલાજ છે.

રામનામરૂપી અમૃત પીવાની કોઈ મર્યાદા નથી. એ અમૃતની ખૂબી એવી છે કે જેમ પિવાય તેમ તેની તરસ વધે છે. રામનામમાં જે શક્તિ છે તેને વિશે મને જરાય શંકા નથી. માત્ર ઇચ્છા કરવાથી દરેક માણસ પોતાના હ્રદયમાં રામનામ અંકિત નથી કરી શકતો. તે માટે અથાગ પરિશ્રમની જરૂર છે, ધીરજની પણ આવશ્યકતા છે. પારસમણિ મેળવવો છે ને ધીરજ ન રાખીએ તો કેમ ચાલે? ને રામનામ પારસમણિ કરતાં કેટલુંયે અમૂલ્ય છે!

મારા રામનામને જંતરમંતર સાથે કશો સંબંધ નથી. મેં કહ્યું છે કે કોઈ પણ રૂપમાં ઈશ્વરનું નામ લેવું એ એક મહાન શક્તિનો આધાર લેવા બરાબર છે. એ શક્તિ જે કરી શકે છે, તે બીજી કોઈ શક્તિ નથી કરી શકતી. એની સરખામણીમાં અણુબોમ્બ પણ કશી વિસાતમાં નથી. એનાથી બધું દર્દ દૂર થાય છે.


મહાત્મા ગાંધી

Friday, November 26, 2010

સંકટમોચન હનુમાનાષ્ટક...


મારા સાથી કર્મચારી નિરવભાઈ પરીખે શુક્રવારે રાત્રે હનુમાનજી મહારાજની વિવિધ સ્તુતિ, આરાધનાઓ માગી હતી. તેમને વિશેષ તો સંકટમોચન હનુમાનાષ્ટક અને બજરંગબાણની જરૂર છે. તેમના માટે અહીં સૌપ્રથમ હનુમાનાષ્ટક રજૂ કરું છું.

બાલ સમય રવિ ભક્ષિ લિયો તબ, તીનહું લોક ભયો અંધિયારો
તાહિ સોં ત્રાસ ભયો જગ કો, યહ સંકટ કાહુ સો જાત ન ટારો
દેવન આનિ કરી વિનતી તબ, છાંડિ દિયો રવિ કષ્ટ નિવારો
કો નહિં જાનત હૈ જગ મેં કપિ, સંકટમોચન નામ તિહારો 1

બાલિ કી ત્રાસ કપીસ બસૈ ગિરિ, જાત મહાપ્રભુ પંથ નિહારો
ચૌંકિ મહામુનિ શાપ દિયો તબ, ચાહિય કૌન બિચાર બિચારો
કૈ દ્વિજ રુપ લિવાય મહાપ્રભુ, સો તુમ દાસ કે સોક નિવારો
કો નહિં જાનત હૈ જગ મેં કપિ, સંકટમોચન નામ તિહારો 2

અંગદ કે સંગ લેન ગયે સિય, ખોજ કપીસ યહ બૈન ઉચારો
જીવત ના બચિહૌ હમ સોં જુ, બિના સુધિ લાયે ઇંહા પગુધારો
હેરિ થકે તટ સિંધુ સબૈ તબ, લાય સિયા સુધિ પ્રાન ઉબારો
કો નહિં જાનત હૈ જગ મેં કપિ, સંકટમોચન નામ તિહારો 3

રાવન ત્રાસ દઈ સિય તો તબ, રાક્ષસિ સોં કહિ સોક નિવારો
તાહિ સમય હનુમાન મહાપ્રભુ, જાય મહા રજનીચર મારો
ચાહત સીય અશોક કો આગિ સુ, દૈ પ્રભુ મુદ્રિકા સોક નિવારો
કો નહિં જાનત હૈ જગ મેં કપિ, સંકટમોચન નામ તિહારો 4

બાણ લાગ્યો ઉર લછિમન કે તબ, પ્રાન તજ્યો સુત રાવન મારો
લૈ ગૃહ વૈદ્ય સુષેન સમેત, તબૈ ગિરિ દ્રોણ સુ-બીર ઉપારો
આનિ સંજીવન હાથ દઈ તબ, લછિમન કે તુમ પ્રાન ઉબાપો
કો નહિં જાનત હૈ જગ મેં કપિ, સંકટમોચન નામ તિહારો 5

રાવન જુદ્ધ અજાન કિયો તબ, નાગ કી ફાંસ સબૈ સિર ડારો
શ્રી રઘુનાથ સમેત સબૈ દલ, મોહ ભયો યહ સંકટ ભારો
આનિ ખગેસ તબૈ હનુમાન જુ, બંધન કાટિ સુત્રાસ નિવારો
કો નહિં જાનત હૈ જગ મેં કપિ, સંકટમોચન નામ તિહારો 6

બંધુ સમેત જબૈ અહિરાવણ, લૈ રઘુનાથ પાતાલ સિધારો
દેવિહિં પૂજી ભલી વિધિ સોં બલિ, દેઉ સબૈ મિલિ મંત્ર બિચારો
જાય સહાય ભયો તબ હી, અહિરાવણ સૈન્ય સમેત સંહારો
કો નહિં જાનત હૈ જગ મેં કપિ, સંકટમોચન નામ તિહારો 7

કાજ કિયે બડ દેવન કે તુમ, બીર મહાપ્રભુ દેખિ બિચારો
કૌન સો સંકટ મોર ગરીબ કો, જો તુમસોં નહિં જાત હૈ ટારો
બૈગિ હરો હનુમાન મહાપ્રભુ, જો કછુ સંકટ હોય હમારો
કો નહિં જાનત હૈ જગ મેં કપિ, સંકટમોચન નામ તિહારો 8

દોહા

લાલ દેહ લાલી લસે, અરુ ધરિ લાલ લંગૂર
બજ્ર દેહ દાનવ દલન, જય જય જય કપિ સૂર

કહઈ રીંછપતિ સુનુ હનુમાના, કા ચૂપ સાધિ રહેઉ બલવાના....


કહેવાય છે કે, હનુમાન ચાલીસા કરો તે અગાઉ તુલસીદાસ મહારાજ રચિત 'રામચરિતમાનસ'ના કિષ્કિન્ધાકાણ્ડની ત્રણ ચોપાઈનો પાઠ પાંચ મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ કે પછી તમને અનુકૂળ હોય તેટલો સમય કરો તો દશરથનંદન રામચંદ્ર મહારાજના પરમ ભક્ત બજરંગબલી તમારી યોગ્ય વિનંતી અચૂક સાંભળે છે. આ ત્રણ ચોપાઈ છેઃ

કહઈ રીંછપતિ સુનુ હનુમાના, કા ચૂપ સાધિ રહેઉ બલવાના
પવન તનય બલ પવન સમાના, બુધિ બિબેક વિગ્યાન નિધાના
કવન સો કાજ કઠિન જગ માંહિ, જો નહીં હોઈ તાત તુમ પાઈ


રાવણ સીતા મૈયાને હરી ગયો છે. તે ક્યાં છે તેની ભાળ મેળવવા રામ પ્રભુની આજ્ઞા લઈને રીંછપતિ જાંબવન્ત, વાલિપુત્ર અંગદ, નીલ, નલ, દધિમુખ, વિકટ, દુર્ધર અને હનુમાનજી મહારાજ નીકળી પડે છે. દક્ષિણના દરિયાકિનારે ગીધ પાસેથી જાણવા મળે છે કે લંકાપતિ રાવણ સીતા મૈયાનું હરણ કરી ગયો છે. પણ દરિયો પાર કરીને ત્યાં જવું કેવી રીતે? દરિયો પાર કરીને પ્રભુ શ્રીરામનો સંદેશ સીતા મૈયાને આપીને પાછાં ફરવાનું સામર્થ્ય કોનામાં છે? જાંબવન્ત, અંગદ, નીલ, નલ, દધિમુખ, વિકટ, દુર્ધર બધા હાથ હેઠાં મૂકી દે છે, નિરાશ થઈ જાય છે ત્યારે જાંબવન્ત હનુમાનજી મહારાજને કહે છે કેઃ

''હે હનુમાન! હે બળવીર! સાંભળો. તમે કેમ મૌન સેવ્યું છે? હે પવનપુત્ર! તમે બળમાં પવન જેવા છો, બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાનના ભંડાર છો. હે તાત! જગતમાં એવું કયું અઘરું કાર્ય છે, જે તમે ન કરી શકો.''

મર્યાદા પુરુષોત્તમ રામ ભક્તવત્સલ છે તો હનુમાનજી મહારાજ ભક્તઅનુરાગી છે. આજે શનિવારના શુભ દિવસે ઉપરોક્ત ત્રણ ચોપાઈનો પાઠ કરીને હનુમાનજી મહારાજને એક કામ સોંપીએ. હે મારુતિનંદન, નિત નિત રામ પ્રત્યેની અમારી ભક્તિ વધારજે. તારા ગુણગાન ગાવાનું સામર્થ્ય અમને આપજે.

ભગવાન શ્રીરામ, રામચરણઅનુરાગી હનુમાનજી મહારાજના ગુણગાન કરવાનો જ આ બ્લોગનો આશય છે. અહીં તુલસીદાસજી મહારાજના 'રામચરિતમાનસ'માંથી પણ દોહા, ચોપાઈ, સોરઠા અને છંદ પણ મૂકીશું. વિવિધ મહાનુભાવોએ ગાયેલો રામનામનો મહિમા રજૂ કરીશું....તુલસીદાસજી મહારાજની જેમ આપણે સરળ ચિત્તવાળા અને જગતને હિતકર્તા સજ્જનોને વંદન કરીએ છીએ અને અન્યના દોષોને હજાર આંખોથી જોનાર તથા પોતાના સ્વાર્થ માટે બીજાનું ખરાબ કરવામાં, બીજાનું ખરાબ બોલવામાં જરા પણ ખચકાટ ન અનુભવતા દુષ્ટજનોને સાચા ભાવથી પ્રણામ કરીએ છીએ......