
સાધુ ચરિત સુભ ચરિત કપાસુ, નિરસ બિસદ ગુનમય ફલ જાસૂ 1
જો સહિ દુઃખ પરછિદ્ર દુરાવા, બંદનીય જેહિં જગ જસ પાવા 2
સાધુઓનું ચરિત્ર સુંદર કપાસતુલ્ય છે, જેનું ફળ રસરહિત હોવા છતાં સ્વચ્છ અને શુભ હોય છે, કપાસની જેમ તેઓ પોતે કષ્ટ સહીને બીજાઓના દોષોને ઢાંકે છે, એટલે જે તેમણે જગતમાં વંદનીય યશ પ્રાપ્ત કર્યો છે.
મુદ મંગલમય સંતુ સમાજુ, જો જગ જંગમ તીરથરાજૂ 3
રામ ભક્તિ જહં સુરસરિ ધારા, સરસઈ બ્રહ્મ બિચાર પ્રચારા 4
સંતોનો સમાજ આનંદમય અને મંગલમય છે, જે જગતમાં હાલતાચાલતા તીર્થરાજ પ્રયાગરૂપ છે, જ્યાં સીતારામની ભક્તિરૂપ ગંગાજીની ધારા છે અને બ્રહ્મવિચારના પ્રચારરૂપ સરસ્વતી છે.
બિધિ નિષેધમય કલિ મલ હરની, કરમ કથા રબિનંદનિ બરની 5
હરિ હર કથા બિરાજતિ બેની, સુનત સકલ મુદ મંગલ દેની 6
વિધિ અને નિષેધરૂપી જે કર્મકાણ્ડની કથા છે તેને કલિકાળના પાપોને હરનારી સૂર્યપુત્રી યમુનારૂપ વર્ણવી છે અને વિષ્ણુ અને શિવની કથા મળીને ત્રિવેણીરૂપ શોભે છે, જે સાંભળતા જ આનંદ મળે છે અને કલ્યાણ થાય છે.
બટુ બિસ્વાસ અચલ નિજ ધરમા, તીરથરાજ સમાજ સુકરમા 7
સબહિ સુલભ સબ દિન સબ દેસા, સેવત સાદર સમન કલેસા 8
ધર્મમાં અચળ વિશ્વાસ અક્ષયવડ છે અને શુભ કર્મો તીર્થનો મેળો છે. સંત-સમાજરૂપી પ્રયાગ સર્વને માટે બધાય દિવસ સર્વ દેશોમાં સુલભ છે અને આદરપૂર્વક સેવવાથી બધાય કલેશો નષ્ટ કરનાર છે.
અકથ અલૌકિક તીરથરાઊ, દેઈ સદ્ય ફલ પ્રગટ પ્રભાઊ 9
એ તીર્થરાજ અકથનીય અને અલૌકિક છે, તે તુરત ફળ આપે છે. એનો પ્રભાવ જગતમાં પ્રસિદ્ધ છે.
દોહોઃ સુનિ સમુઝહિ જન મુદિત મન મજ્જહિં અતિ અનુરાગ
લહહિં ચારિ ફલ અછત તનુ સાધુ સમાજ પ્રયાગ 1
જે ભાવિક મનુષ્યો સંતસમાજરૂપી તીર્થરાજના ઉપદેશને પ્રસન્નચિતથી સાંભળીને મનન કરે છે ને તેમાં મગ્ન બની જાય છે. તેઓ તો પોતાની હયાતીમાં જ ચાર પદાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરે છે.
જો સહિ દુઃખ પરછિદ્ર દુરાવા, બંદનીય જેહિં જગ જસ પાવા 2
સાધુઓનું ચરિત્ર સુંદર કપાસતુલ્ય છે, જેનું ફળ રસરહિત હોવા છતાં સ્વચ્છ અને શુભ હોય છે, કપાસની જેમ તેઓ પોતે કષ્ટ સહીને બીજાઓના દોષોને ઢાંકે છે, એટલે જે તેમણે જગતમાં વંદનીય યશ પ્રાપ્ત કર્યો છે.
મુદ મંગલમય સંતુ સમાજુ, જો જગ જંગમ તીરથરાજૂ 3
રામ ભક્તિ જહં સુરસરિ ધારા, સરસઈ બ્રહ્મ બિચાર પ્રચારા 4
સંતોનો સમાજ આનંદમય અને મંગલમય છે, જે જગતમાં હાલતાચાલતા તીર્થરાજ પ્રયાગરૂપ છે, જ્યાં સીતારામની ભક્તિરૂપ ગંગાજીની ધારા છે અને બ્રહ્મવિચારના પ્રચારરૂપ સરસ્વતી છે.
બિધિ નિષેધમય કલિ મલ હરની, કરમ કથા રબિનંદનિ બરની 5
હરિ હર કથા બિરાજતિ બેની, સુનત સકલ મુદ મંગલ દેની 6
વિધિ અને નિષેધરૂપી જે કર્મકાણ્ડની કથા છે તેને કલિકાળના પાપોને હરનારી સૂર્યપુત્રી યમુનારૂપ વર્ણવી છે અને વિષ્ણુ અને શિવની કથા મળીને ત્રિવેણીરૂપ શોભે છે, જે સાંભળતા જ આનંદ મળે છે અને કલ્યાણ થાય છે.
બટુ બિસ્વાસ અચલ નિજ ધરમા, તીરથરાજ સમાજ સુકરમા 7
સબહિ સુલભ સબ દિન સબ દેસા, સેવત સાદર સમન કલેસા 8
ધર્મમાં અચળ વિશ્વાસ અક્ષયવડ છે અને શુભ કર્મો તીર્થનો મેળો છે. સંત-સમાજરૂપી પ્રયાગ સર્વને માટે બધાય દિવસ સર્વ દેશોમાં સુલભ છે અને આદરપૂર્વક સેવવાથી બધાય કલેશો નષ્ટ કરનાર છે.
અકથ અલૌકિક તીરથરાઊ, દેઈ સદ્ય ફલ પ્રગટ પ્રભાઊ 9
એ તીર્થરાજ અકથનીય અને અલૌકિક છે, તે તુરત ફળ આપે છે. એનો પ્રભાવ જગતમાં પ્રસિદ્ધ છે.
દોહોઃ સુનિ સમુઝહિ જન મુદિત મન મજ્જહિં અતિ અનુરાગ
લહહિં ચારિ ફલ અછત તનુ સાધુ સમાજ પ્રયાગ 1
જે ભાવિક મનુષ્યો સંતસમાજરૂપી તીર્થરાજના ઉપદેશને પ્રસન્નચિતથી સાંભળીને મનન કરે છે ને તેમાં મગ્ન બની જાય છે. તેઓ તો પોતાની હયાતીમાં જ ચાર પદાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરે છે.



